જૂનાગઢના જોષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ડાયાભાઈ વાજા પોતાની ફોરવ્હીલ કાર લઈને કાથરોટા-વડાલ રોડ પર આવેલા રોકડીયા ભજીયા પાસે પહોંચ્યા હતા. ત્યારે જીજે-11-સીક્યુ-4107 નંબરની ટ્રાવેલ્સ બસ પૂરઝડપે આવી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. આ બનાવ અંગે નિલેશભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.