ખંભાત: ખંભાતના ONGC પ્રા. શાળા, સરકારી હોસ્પિટલ અને જલસણ વિસ્તારમાંથી 3 કપિરાજનું સફળ રેસ્ક્યુ.
Khambhat, Anand | Jun 10, 2026 ખંભાત પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કપિરાજોના ત્રાસથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો, ત્યારે વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણ કપિરાજને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવામાં આવતા સ્થાનિકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.ખંભાતના ONGC પ્રા. શાળા, સરકારી હોસ્પિટલ અને જલસણ વિસ્તારમાંથી ત્રણ કપિરાજનું સફળ રેસ્ક્યુ કરવામાં આવતા વનવિભાગની ત્વરિત કામગીરીને બિરદાવી છે.