આજ રોજ હજીરા વિસ્તારમાં આવેલી AMNS કંપની ખાતે બનેલી ઘટનાના અનુસંધાને, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અને સચોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની અશાંતિ કે અફવાઓ ફેલાય નહીં તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું હતું. આ અનુસંધાને AMNS કંપની, નજીક આવેલી L&T કંપની, તેમજ આસપાસની વિવિધ લેબર કોલોનીઓમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે વિશાળ પાયે ફ્લેગ માર.