નખત્રાણા: નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના શ્રીગણેશ, બે બેઠકો બિનહરીફ
નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના શ્રીગણેશ, બે બેઠકો બિનહરીફ કચ્છની નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શાનદાર ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 4 માં મનન લુહાર અને વોર્ડ નંબર 5 માં મધુબેન સુથાર સામે અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ભાજપને આ બંને બક્ષીપંચ અનામત બેઠકો બિનહરીફ મળી છે. ચૂંટણી પૂર્વે જ ભાજપનો વિજયી પ્રારંભ થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.