અંજાર: સરહદ ડેરીની કલ્યાણકારી પહેલ : આકસ્મિક અવસાન પામેલા પશુપાલકના પરિવારને રૂ. 1 લાખની વીમા સહાય
Anjar, Kutch | Jun 27, 2026 કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી દ્વારા યુનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની મારફતે નિયમિત દૂધ ઉત્પાદક પશુપાલકો માટે અમલમાં મુકાયેલી આકસ્મિક વીમા યોજના હેઠળ અંજાર તાલુકાના બુઢારમોરા દૂધ મંડળીના સભાસદ સ્વ. તુલશી પાલા રબારીના આકસ્મિક અવસાન બાદ તેમના વારસદાર કવીબેન તુલશી રબારીને રૂ. 1 લાખનો વીમા સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો.