ગાંધીધામ: મનપા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ચુકવણી પર 30 જુન,2026 સુધી 10% વળતર યોજના App/Website ના માધ્યમથી ચુકવણી કરી શકાશે
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંકુલના ગાંધીધામ અને આદિપુરના મિલ્કત ધારકો માટે પ્રોપર્ટી ટેક્સ ચુકવણી પર 10% વળતર યોજના જાહેર કરાઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ 2026-27 ના ટેક્સ બીલો જનરેટ થઈ ગયા હોઈ, નાગરિકો આગામી 30 જૂન, 2026 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે. મનપા દ્વારા સુશાસન દિવસથી શરૂ કરાયેલી ડિજિટલ પહેલ અંતર્ગત નવી વેબસાઈટ અને 'My Gandhidham' એપના માધ્યમથી લોકો ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન ચુકવણી કરી રહ્યા છે.