ગાંધીધામ: રાપર-ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ભચાઉ બાદ આદિપુર સ્થિત નર્મદા ભવન ખાતે ફરીથી રજૂઆત
ભચાઉ અને રાપર વિસ્તારના ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા આજરોજ આદિપુર સ્થિત નર્મદા ભવન ખાતે ફરીથી રજૂઆત કરવામાં આવી છે.