ગાંધીધામ: આદિપુરની કચ્છ મચ્છોયા કન્યા શાળા-કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
પૂર્વ કચ્છના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. શાખા દ્વારા આદિપુર સ્થિત શ્રી કચ્છ મચ્છોયા કન્યા શાળા અને કોલેજ ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં વિદ્યાર્થીઓને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ, ઓનલાઈન ગેમિંગથી થતા નુકસાન, સાયબર ફ્રોડના નવા ટ્રેન્ડ, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતાના જોખમો, મજબૂત પાસવર્ડ અને ટુ-સ્ટેપ વેરિફિકેશનનું મહત્વ વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ