ગાંધીધામ: સેશન્સ કોર્ટનો ચુકાદો;આદિપુરમાં આગ લગાડી મકાનનો નાશ કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી
આદિપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલ ગુનામાં ગાંધીધામ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.અગાઉનું મનદુ:ખ રાખી આરોપી ક્રિષ્ના ઉર્ફે કૃણાલ ભીલે ફરિયાદીના મકાનમાં કેરોસીન છાંટી આગ લગાડી હતી.આની તપાસ કરનાર પીએસઆઇ બી.વી.ચુડાસમા, એચ.એસ.તિવારી અને કોપી રાઇટર રાજુભાઈ એન.મકવાણા તથા ભરતભાઈ કાનગડ દ્વારા રજૂ કરેલા મજબૂત પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ચોથા એડિશનલ સેશન્સ જજે આરોપીને કસૂરવાર ઠરાવી ત્રણ વર્ષની સજા ફટકારી છે.