ગાંધીધામ: મહાનગરપાલિકા કમિશ્નર મનીષ ગુરવાનીની બદલી રોકવા CMને રજૂઆત
ગાંધીધામ વિસ્તારમાં વિકાસની નવી લહેર લાવનાર મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીની બદલી અટકાવવા માટે સ્થાનિક સંગઠનો મેદાને આવ્યા છે. સંસ્થા અને સંગઠનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કમિશનર દ્વારા દિવસ- રાત જોયા વગર જનસુવિધાના કામોમાં સરાહનીય નિષ્ઠા દાખવવામાં આવી છે.શહેરના હિતને ધ્યાનમાં રાખીને આ ટ્રાન્સફર રોકી તેમને વધુ બે વર્ષ માટે ગાંધીધામમાં જ સેવા આપવાની તક આપવા નાગરિકોએ હકારાત્મક નિર્ણયની અપેક્ષા વ્યક્ત કરી છે.