અંજાર: ગોવર્ધન નંદી શાળામાં નંદીઓને 4 હજાર કિલો પૌષ્ટિક આહાર અર્પણ
Anjar, Kutch | Jun 3, 2026 દેશની સર્વપ્રથમ ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજના વ્યાસપીઠેથી શ્રી વ્રજ પૃથ્વી ગ્રંથના પારાયણ દરમિયાન શ્રી રાધારાણીના જન્મોત્સવ અને પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નંદીજીને બાકલા, દૂધિયા, કાકડી, તરબૂચ, શક્કરટેટી સહિત વિવિધ તાજા ફળો અને શાકભાજીનો અંદાજે 3થી 4 હજાર કિલો પૌષ્ટિક આહાર ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો.