ગાંધીધામ: કોર્ટનો ચુકાદો;હત્યા કરનાર આરોપીને આજીવન કેદ,દસ વર્ષ બાદ પીડિત પરિવારને ન્યાય મળ્યો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2016માં નોંધાયેલા હત્યાના ગુનામાં નામદાર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે.આ કેસની વિગત મુજબ,વાસણો અને ટીવી વેચી નાખવાની બાબતે મનદુખમાં આરોપી બચુ કારાભાઈ દેવીપુજકે શ્રવણ દેવીપુજક પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એ.જી.પી. હિતેષી પી.ગઢવીએ અસરકારક પુરાવા અને દલીલો રજૂ કરી હતી.પરિણામે, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એમ. મેમણે આરોપી બયુ દેવીપુજકને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.