ગાંધીધામ: આદિપુરના ભંગારના વાડામાં બ્લાસ્ટ બાદ લાગેલી આગ મોડી રાત્રે કાબૂમાં, ફાયર વિભાગની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
આદિપુરના 6/A વિસ્તારમાં જૈન સેવા સમિતિ હોસ્પિટલ નજીક રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલા ભંગારના વાડામાં અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગતા વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં ગાંધીધામ મનપા, અંજાર નગરપાલિકા તેમજ ટિમ્બર એસોસિએશનના ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભંગારના મોટા જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ફાયર વિભાગે સતત કામગીરી કરીને મોડી રાત્રે અંદાજે 2 વાગે આગને કાબુમાં લીધી હતી.