વલ્લભીપુર: વલ્લભીપુરમાં કચ્છી માલધારીના 14 ઘેટાં ચોરાયા,ચોરોએ માલધારીને માર મારી ઘરેણાં પણ લૂંટ્યા, પોલીસ તપાસ.
વલ્લભીપુર તાલુકાના રંગપર ગામની સીમમાં કચ્છી માલધારીના 14 ઘેટાં અને ચાંદીની માળાની ચોરી થઈ છે. 2 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ચોરો આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદ કાલે રાત્રીના નોંધાઈ હતી , ધનાભાઈ રામાભાઇ અજાણા નામના કચ્છી માલધારી વિક્રમભાઈ રામસંગભાઇ હાડાના ખેતરમાં પોતાના પશુઓ સાથે રાતવાસો કરવા રોકાયા હતા. રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સોએ ઘેટાં હંકારી જવાનો પ્રયાસ કર્યો હતો.