કાલોલ: સણસોલીના પાઢેવા ખેતર વિસ્તારના બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન: સરપંચે મીડિયાનો ફોન કાપી નાખ્યો
કાલોલ તાલુકાના સણસોલી ગામના પાઢેવા ખેતર વિસ્તારમાં રહેતા ૨૦ થી ૨૫ પરિવારજનો માટે ઘરે આવવા-જવાનો મુખ્ય રસ્તો ભારે હાલાકીનો સબબ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી નવો રસ્તો ન બનવાના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તા પર કાદવ-કીચડ અને ગંદા પાણીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેનાથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.