ખંભાત: ખંભાત રાહધારી વિસ્તારમાંથી વીજ કરંટ લાગવાથી ઘાયલ થયેલા વાંદરાનું માનવીય અભિગમ સાથે રેસ્ક્યુ,વનવિભાગને સોંપાયુ
Khambhat, Anand | Jun 11, 2026 ખંભાત શહેરમાં જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના રાધારી વિસ્તારમાં એક વાંદરાને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પરેશભાઈ પઢિયાર અને પારસભાઈ રાણાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માનવતા દાખવી હતી.પ્રાથમિક તપાસ બાદ વાંદરાને યોગ્ય સારવાર આપવામાં આવી હતી, જેથી તેનો જીવ બચાવી શકાય.