તા.31 મે ની આરંભ થતી રાત્રે દોઢ વાગ્યાના સુમારે જાંબુઘોડા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. આ કુદરતી આફતને પગલે ઘણી જગ્યા એ વૃક્ષો ધરાશાયી થવા સાથે વ્યાપક નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે.