અંજાર: ગાય આધારીત પ્રાકૃતિક ખેતી સાથે પંચગવ્યમાંથી ૧૨૫ પ્રોડક્ટ બનાવીને
કૃષિ આંત્રપ્રિન્યોર બન્યા નાની નાગલપરના ખેડૂત
Anjar, Kutch | May 20, 2026 પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે ત્યારે અંજાર તાલુકાના નાની નાગલપરના મેઘજીભાઇ હિરાણી ગાય આધારીત ખેતી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના ગોબર, ગૌમુત્ર, ધી, દૂધ, દહીંનો ઉપયોગ કરીને આ પંચગવ્યમાંથી ૧૨૫ જેટલી સ્વાસ્થ્યવર્ધક, ઘર ઉપયોગી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીને મનુષ્ય સાથે પ્રકૃતિના પણ ખરાઅર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે.માત્ર ૪ એકર જમીન હોવા છતાં પણ પંચસ્તરીય મોડેલ અપનાવીમૂલ્યવર્ધન ખેતીની દિશામાં અન્ય માટે પ્રેરણાસ્રોત બન્યા છે