ગાંધીધામ: મનપા દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત તેજ કરાઈ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની આવક વધારવાના હેતુથી કડક વસૂલાત ઝુંબેશ શરૂ કરાઈ છે. કમિશનર બી.ડી. દવેરાની સૂચના હેઠળ પ્રોફેશનલ ટેક્સ વિભાગે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જ રૂપિયા 1.75 કરોડની વસૂલાત કરી લીધી છે. તંત્ર દ્વારા ટેક્સ ન ભરનારી અને રજિસ્ટ્રેશન વગર ચાલતી પેઢીઓને સમયાંતરે નોટિસ ફટકારી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમ મુજબ પેઢી દીઠ 2500 રૂપિયાનો વ્યવસાય વેરો નક્કી કરાયો છે.