અંજાર: મેઘપર બોરીચી વિસ્તારમાં ધોરીમાર્ગે અકસ્માતમાં બાઈકચાલકનું મોત
Anjar, Kutch | Apr 3, 2026 ગાંધીધામ-અંજાર ધોરીમાર્ગે ટેઈલર હડફેટે મોટરસાઈકલ ચાલક અજીજ હુસેન સોઢાનું મૃત્યુ થયું હતું. મેઘપર બોરીચી દેનાબેંકની સામે હાઈવે ઉપર આ બનાવ બન્યો હતો. ટેઈલરના ચાલકે મોટરસાઈકલને ટકકર મારી હતી. મિકેનિકલ તરીકે કામ કરતા અજીજને ગંભીર ઈજાઓ પહોંચતા તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના ભાઈ સાજીદ હુસેન સોઢા(મુસ્લિમ)ની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.