અંજાર: હાઇવે પર અકસ્માતમાં એકનું મોત, પુત્રને ઈજા
Anjar, Kutch | Jun 21, 2026 અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર પુરી તળાવ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્રને ઈજા પહોંચી હતી.મળતી માહિતી મુજબ અજાણ્યા કન્ટેનર ટ્રકના ચાલકે પૂરઝડપે આવી મોટરસાઇકલને ટક્કર મારતાં વશરામભાઈ તમાચીભાઈ મકવાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમના પુત્ર રાજેશભાઈ વશરામભાઈ મકવાણાને પણ ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે પોલીસે અજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.