આગામી પંદર માર્ચથી નર્મદાની મુખ્ય કેનાલ સાફ સફાઈ અને રિપેરીંગ કામ માટે બે મહિના સુધી બંધ રાખવામા આવશે. ત્યારે રાપર તાલુકાના ૯૭ ગામ, ૨૨૭ વાંઢ તથા ખડીરના બાર ગામ સહિતના વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી ન થાય તે માટે તથા રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવા માટે જે તે વિભાગના અધિકારીઓ તથા હોદેદારો સાથે સંકલન કરી આગોતરી તૈયારી કરવા માટે કટિબદ્ધ બન્યા છે.પ્રમુખ ચાંદભાઈ ઠક્કર દ્વારા વધુ માહિતી અપાઈ