ગાંધીધામ: મહાનગરપાલિકા વિસ્તારમાં પોલિયો રવિવારે 55,195 બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા
રાષ્ટ્રીય રસીકરણ દિવસ (નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે) અંતર્ગત તા. 28 જૂન, 2026ના રોજ યોજાયેલા પોલિયો રવિવાર કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 0 થી 5 વર્ષના કુલ 55,195 બાળકોને 197 પોલિયો બુથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે કુલ 788 સભ્યો જોડાયા હતા. પોલિયો બુથ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 600 ફૂડ પેકેટની વ્યવસ્થા શ્રી અગ્રવાલ સમાજ અને શ્રી અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.