ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લામાં ગત વર્ષમાં 29 હજાર દસ્તાવેજોની નોંધણી થઈ, સરકારને 1 અબજ 53 કરોડ ઉપરાંતની આવક થવા પામી.
સબ રજીસ્ટાર વિભાગના આંકડાઓ મુજબ ખંભાત સહિત સમગ્ર જિલ્લામાં એક એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 સુધીમાં જિલ્લાભરની રજીસ્ટાર કચેરીઓમાં 29090 દસ્તાવેજ થયા હતા. જેની સામે નોંધણી અને સ્ટેમ્પ ફી મળીને એ કબજ 53 કરોડની આવક થવા પામી હતી.ખંભાતમાં 2115, તારાપુરમાં 1,682, પેટલાદમાં 2,734 આણંદમાં 15033 સોજીત્રામાં 1123 આંકલાવમાં 1409 બોરસદમાં 3029 ઉમરેઠમાં 1965 કુલ મળી 29,090 દસ્તાવેજો નોંધાયા છે.