ખંભાત: સુરતના નેશનલ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત, વ્હોરવાડના કાદરપુરા મહોલ્લાના દાઉદી વ્હોરા પરિવારના 4 સભ્યોના મોત
સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં નેશનલ એક્સપ્રેસ-વે 4 પર કાળમુખો અકસ્માત સર્જાયો હતો.એક આઈશર ટેમ્પો મુંબઈ થી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું ટાયર ફાટી જતાં ચાલકે ટેમ્પો રસ્તા પર ઉભો રાખ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી ઇકો કાર નંબર: GJ23BL0679 ટેમ્પાના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ લોકોના જીવ ગયા હતા.