અંજાર: ગૌમાતાને સન્માન મળે તેમજ તેને રાષ્ટ્ર માતા જાહેર કરવા બાબતે મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવાનું આયોજન
Anjar, Kutch | May 6, 2026 ગૌમાતાને સન્માન આપવામાં આવે તેમજ રાષ્ટ્ર માતા જાહેર કરવા બાબતે આવતીકાલે અંજારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલી સવારે ૧૦ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરશે, જે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજની આગેવાની હેઠળ તેમજ રાયમલધામના ધનેશ્વર જોષીની પ્રેરણાથી યોજાશે.રેલી બાદ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી ખાતે મામલતદારને પ્રાથના પત્ર પાઠવવામાં આવશે.મહંત ત્રિકમદાસજી મહારાજે ગૌભક્તોને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે.