ભારતીય સંસ્કૃતિમાં પરિણીત મહિલાઓ માટે વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે,જેમાં 'વટ સાવિત્રી વ્રત' અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે.જેને લઇને આજે સોમવારના રોજ જાંબુઘોડા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વટવૃક્ષોની આસપાસ વ્રતધારી મહિલાઓની ભારે ભીડ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો