સુરત જિલ્લાના કોસંબા પાસે આવેલા હથોડા ગામમાં ગૌહત્યાની બાતમીના આધારે ગઇકાલે પોલીસ જવાનો અને ગૌરક્ષકો ગામમાં ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર રહેલાં અસામાજિક તત્ત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવના માથાના ભાગે તલવારના ગંભીર ઘા વાગતાં તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા પોલીસ જવાનો હાલ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.