ગાંધીધામ: અપહરણ કેસમાં પોલીસની સરાહનીય કામગીરી બદલ VHP દ્વારા એસપી કચેરી ખાતે પોલીસનુ સન્માન
અપહરણ કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી અને સરાહનીય કામગીરી બદલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા (એસપી) સહિત અંજાર પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એસપી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસની કામગીરીને બિરદાવી હતી.