તારાપુર-બોરસદ હાઈવેથી ટાઢા હનુમાન મંદિર થઈ તારાપુર-સોજિત્રા રોડને જોડતા રસ્તાનું પહોળીકરણ (Widening) કરવામાં આવશે.આ વિકાસ કાર્ય માટે ગુજરાત સરકાર દ્વારા ₹૫ કરોડ ૫૦ લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.આ રોડ પહોળો થવાથી સ્થાનિક વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે આ વિકાસ કાર્ય માટે મંજૂરી આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.