અંજાર: વોર્ડ ૪,૫,૮, અને ૩ ના વિવિધ વિસ્તારમા આવેલ પાણીની સમસ્યા બાબતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી
Anjar, Kutch | May 2, 2026 અંજાર શહેર કોંગસ પ્રતિનિધિ મંડળ પૂર્વ વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા ની આગેવાનીમા વહીવટદાર શ્રી ચૌધરી સાહેબ ને મળી રજૂઆત કરેલ હતી આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ નગરસેવક શ્રી વોર્ડ ૮ યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ નં 4 ના નગરસેવક દીપકભાઈ આર આહિર, વોર્ડ નં 8 ના નગર સેવક શ્રી મામદશા બી શૈખ વોર્ડ નં 4 ના કાઉન્સિલર શ્રી મીનાક્ષીબેન એન પ્રજાપતિના પ્રતિનિધિશ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ અને અન્ય ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.