અંજાર: મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા અનોખો જીવદયાનો સેવાયજ્ઞ અંજારની નંદીશાળામાં ૭૦૦ નંદીઓને સક્કરટેટીનું વિતરણ કરાયું
Anjar, Kutch | May 12, 2026 સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અંજાર સ્થિત નંદિશાળામાં અનોખા જીવદયા સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૭૦૦ નંદીઓને સક્કરટેટીનું વિતરણ કરી ગૌસેવા અને જીવદયાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. મહંતશ્રીએ જણાવ્યું હતું કે નિરાધાર અને નિર્વાચ પ્રાણીઓની સેવા કરવી એ સાચી માનવસેવા સમાન છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને સેવાભાવના માહોલમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.