અંજાર: નગાવલાડીયા ગૌશાળાએ સરકારી સબસીડી ન લેવા કર્યો નિર્ણય જાણો કારણ
Anjar, Kutch | May 11, 2026 નગાવલાડીયા ગૌશાળા પાંજરાપોળ ચેરીટેબલ ટ્રસ્ટને ગુજરાત સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મળતી સબસીડી સ્વેચ્છાએ એપ્રિલ 2026 થી ન લેવા નિર્ણય કરેલ છે. આ નિર્ણયની જાણ ગૌશાળાએ મામલતદાર અંજારને લેખિતમાં કરેલ છે. નગાવલાડીયા ગૌશાળા સ્વનિર્ભર છે. તેમજ પશુઓને આપવાનો થતો ચારો અને અન્ય ખોરાક સ્વભંડોળથી આપશે. આમ સરકારની સબસીડી સહાયની જરૂરીયાત ન હોતા સબસીડી ન લેવા નિર્ણય કર્યો છે. જેથી જરૂરિયાતમંદ ગૌશાળાને સરકાર સબસીડી આપી શકે.