ગાંધીધામ: મનપા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ,સરકારી યોજનાઓનો લાભ પ્રજાજનો સુધી પહોંચાડવા પ્રયાસ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મંગળવારના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ, ગાંધીધામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.