ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યો, ખિડકીનો કાચ તૂટ્યો,બાળકીશોરની અટકાયત કરી
26 /2 /2026ના રોજ ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પર પથ્થર મારવામાં આવ્યો,સુરતથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થર મારતા ખિડકીનો કાચ તૂટ્યો,સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી,સુરત રેલવે પોલીસ દ્વારા CCTV ના આધારે તપાસ શરૂ કરવામાં આવી,રેલવે પોલીસની ટિમ દ્વારા આજે ભેસ્તાન ખાતે વોચ ગોઠવી પથ્થર મારનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પોલીસે પકડી પાડ્યો.