અંજાર: રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૬ અંતર્ગત સહયોગ આપવા માટે રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની નમ્ર અપીલ
Anjar, Kutch | May 23, 2026 રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું ખાસ આપ સૌને વિદિત કરવાનું કે,વર્ષ ૨૦૨૬ ના રાષ્ટ્રીય કાર્યક્રમ એવા 'વસ્તી ગણતરી' નું કાર્ય જ્યારે પ્રારંભ થઈ રહ્યું છે,અને સેલ્ફ ગણતરી આગામી તારીખ ૩૧ મે ૨૦૨૬ સુધી જ્યારે કરવાની છે ત્યારે સૌ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં જોડાઈને, રાષ્ટ્રને મદદરૂપ થઈએ. આપણી સંપૂર્ણ માહિતી તેમાં ભરીને, અપડેટ કરીને એ આખી માહિતી સંપૂર્ણપણે જાગૃતિપૂર્વક ભરીએ અને અન્ય લોકોને પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં, સૌને જોડાવા માટેનો મારો અનુરોધ છે.