અંજાર: નગરપાલિકાએ નિવૃત્ત કર્મચારીઓને રૂ. 1.81 કરોડથી વધુના એરિયર્સ અને તફાવતની રકમ ચૂકવી
Anjar, Kutch | May 30, 2026 અંજાર નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને કોર્ટના ચુકાદા મુજબ ગ્રેજ્યુઈટી તેમજ છઠ્ઠા અને સાતમા પગાર પંચની તફાવતની રકમનું ચુકવણું કરવામાં આવતા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. નિવૃત્ત કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી બાકી રહેલા લાભોની રકમ ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી. નવનિયુક્ત નગરપાલિકા અધ્યક્ષા,ઉપપ્રમુખ , શાસક પક્ષના તથા નગરસેવકોના પ્રયાસોથી આ ચૂકવણું કરવામાં આવ્યું છે