ગાંધીધામ: વેપારીની રજૂઆત બાદ મહાનગરપાલિકા તંત્રે કચરાની સમસ્યાના ઉકેલની આપી ખાતરી #Jansamasya
ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં કચરાની સમસ્યાને લઈને સ્થાનિક વેપારી અર્પિત વાઘાણીએ મહાનગરપાલિકા તંત્રનું ધ્યાન દોર્યું હતું. લાંબા સમયથી ચાલતી સમસ્યાના નિરાકરણ માટે તેમણે કચરો સાથે લઈ મહાનગરપાલિકા કચેરી ખાતે જઈ રજૂઆત કરી હતી.મહાનગરપાલિકા તંત્ર દ્વારા રજૂઆતને ગંભીરતાથી લઈ ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું વેપારીએ જણાવ્યું છે.