અંજાર: દિલ્હી આગ દુર્ઘટનાના અનુસંધાને અંજાર તાલુકાની હોટલોનું સંયુક્ત નિરીક્ષણ હાથ ધરાયું
Anjar, Kutch | Jun 6, 2026 કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને સૂચના અનુસાર અંજાર તાલુકા વિસ્તારમાં આવેલી હોટલો, લોજ, ગેસ્ટ હાઉસ તથા જાહેર ઉપયોગની સંસ્થાઓમાં આગ સલામતી અને વીજ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓની ચકાસણી માટે વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ કામગીરી દરમિયાન મામલતદાર કચેરી અંજાર, અંજાર નગરપાલિકાના ફાયર વિભાગ, પી.જી.વી.સી.એલ.ની ટીમ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.