અંજાર: શ્રી સ્વામિનારાયણ જૂના મંદિર અંજાર મધ્યે શ્રી માનવસેવા ચેરી ટ્રસ્ટ અંજાર દ્વારા 129.મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન
Anjar, Kutch | Apr 27, 2026 અંજારમાં માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટનાં ઉપક્રમે સ્વામિનારાયણ જૂના મંદિરમાં ૧૨૯મો વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ યોજાયો હતો. જેના દાતા કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન મહિલા મંડળ રહ્યું હતું. આ નેત્રયજ્ઞમાં તબીબ દ્વારા ૧૩૧ દર્દીની આંખોની તપાસ કરાઈ હતી. જેમાંથી ઓપરેશન લાયક ૪૩ દર્દીના રાજકોટમાં ઓપરેશન કરી અપાશે. પ્રાંરંભમાં ત્રિકમદાસજી મહારાજ અને કિર્તીદાસજી મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાયું હતું