હોળીના પર્વને હવે ગણતરીના 3 દિવસ બાકી છે, ત્યારે સુરતમાં વસતા ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના લાખો શ્રમિકોમાં વતન જવાની ઘેલછા જોવા મળી રહી છે,ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઊમટ્યો છે,બીજી બાજુ જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી,લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઊજવવા માટે કોઈપણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે...