યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ તથા સુરત શહેરના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા સુરતના ઉધના દરવાજા ખાતે આજે પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, ઉધના દરવાજા ખાતે યોજાયો હતો.યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સરકારની નીતિઓ સામે ભારે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે પૂતળા દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.