અંજાર: શ્રી ગોવર્ધન નંદીશાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓના આરોગ્ય માટે અનોખી સેવા:૨,૫૭૫ કિલો શાકભાજીનો મહાપ્રસાદ
Anjar, Kutch | Jun 27, 2026 અંજાર સ્થિત દેશની પ્રતિષ્ઠિત અને સૌપ્રથમ નંદીશાળાઓમાંની એક શ્રી ગોવર્ધન નંદીશાળા ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓના ઉત્તમ આરોગ્ય અને પોષણ માટે વિશેષ સેવા યોજાઈ હતી. આ પ્રસંગે કુલ ૨,૫૭૫ કિલો પૌષ્ટિક શાકભાજી નંદીઓને મહાપ્રસાદરૂપે અર્પણ કરવામાં આવ્યું.નંદીશાળામાં આશરે ૭૫૦ નંદીઓની પ્રેમ, સેવા અને સમર્પણભાવથી સંભાળ રાખવામાં આવે છે.અહીં ૨૪ કલાક શુદ્ધ પાણી,પશુચિકિત્સા સેવા, ઉનાળામાં ફુવારાની તેમજ શિયાળામાં હીટરની વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે