લખપત: ગુનાઉથી સાંધી સુધી નારાયણ સરોવર મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ
Lakhpat, Kutch | Feb 17, 2026 ગુનાઉથી સાંધી સુધી નારાયણ સરોવર મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ નારાયણ સરોવર મરીન કમાન્ડો દ્વારા પીએસઆઈ વી.એમ. ખોખરના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ સાધી તાલમેલ વધારવા પ્રયાસ કરાયો હતો. ઠંડીની વિદાય બાદ પવનની દિશા બદલાતા બિનવારસુ માદક પદાર્થોના પેકેટ તણાઈ આવવાની શક્યતાને પગલે આ સતર્કતા રાખવામાં આવી છે. વિગતો સાત વાગ્યે મળી હતી