ભાઈને અંગ ન મળ્યાનું દર્દ દિલમાં રાખી, બ્રેઇન ડેડ કાનજીએ જતાં-જતાં ચારને નવજીવન આપ્યું ભુજની આયુષ હોસ્પિટલમાં કરુણતા અને માનવતાનો સંગમ સર્જાયો. બ્રેઈન ડેડ જાહેર થયેલા પાન્ધ્રોના ૩૧ વર્ષીય કાનજી ભદરુના પરિવારે ભારે હૈયે હૃદય, લિવર અને કિડનીનું દાન કર્યું.વર્ષો પહેલા અંગ ન મળવાને કારણે કાનજીએ મોટાભાઈ ગુમાવ્યા હતા, જે દર્દ અન્ય કોઈ ન ભોગવે તે હેતુથી પરિવારે આ ઉમદા નિર્ણય લીધો.