માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાનધ્રોના યુવાન કાનજી ધનજી ભદ્રુને બ્રેનડેડ જાહેર કરાયા બાદ, તેમના પરિવારજનોએ અંગદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ભુજની આયુષ હોસ્પિટલ ખાતે એકસાથે હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. હદયને હવાઈ માર્ગે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડી ગ્રીન કોરિડોર મારફતે અન્ય દર્દીઓમાં પ્રત્યાર્પણ કરી ચાર લોકોને નવું જીવન બક્ષવામાં આવ્યું છે