ગાંધીધામ: હીરાલાલ પારેખ સર્કલ સામે કાર નાળામાં ખાબકી : મનપાની તાત્કાલિક કાર્યવાહીથી સેફટી વ્યવસ્થા મજબૂત
ગાંધીધામના હીરાલાલ પારેખ સર્કલ સામે મનપા દ્વારા ચાલી રહેલા વિકાસકામો દરમિયાન માર્ગ પર ખોદકામને કારણે બનેલા ખુલ્લા નાળાની નજીકથી પસાર થતી એક કારનો ચાલક અચાનક સંતુલન ગુમાવતા કાર નાળામાં ખાબકી જવાની ઘટના સામે આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મનપા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સ્થળ પર સેફટી બેરિકેડ તેમજ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા હતા.