અંજાર: જન્મ-મરણના કેસોમાં વિલંબ સામે અંજાર બાર એસોસિએશનની મામલતદાર કચેરી ખાતે રજૂઆત
Anjar, Kutch | Jun 19, 2026 જન્મ અને મરણ નોંધણીના કેસોમાં લાંબા સમયથી વિલંબ થતો હોવા તેમજ અરજદારોને નક્કર જવાબ ન મળતા અંજાર બાર એસોસિએશન દ્વારા પ્રમુખ યશ. કે.પોટા અને મંત્રી હિમાંશુ.એમ. પુરોહિતની આગેવાનીમાં .મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.