ખંભાત: કતકપૂર નવીનગરીમાં લાખોના ખર્ચે બનેલા રોડ તોડી નાંખ્યા, ગટરના ગંદા પાણીથી આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ
Khambhat, Anand | May 26, 2026 ખંભાતના કતકપૂર નવીનગરી વિસ્તારમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. વિકાસના નામે લાખો રૂપિયાનું આંધણ કર્યા બાદ સ્થાનિક વંચિત સમુદાયના લોકોને પાયાની સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. ચૂંટણી ટાણે મોટા-મોટા વાયદાઓ કરીને વોટ અંકે કરી ગયેલા રાજકીય પક્ષોના નેતાઓ અને કાઉન્સિલરો સામે સ્થાનિક રહીશોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.ગટરના ઉભરાતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સ્થાનિકો પરેશાન છે.