ગાંધીધામ: ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 14 મે સુધી કાળઝાળ ગરમીને લઈ 'ઓરેન્જ એલર્ટ' બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવા સલાહ
હવામાન વિભાગ દ્વારા ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 14 મે સુધી કાળઝાળ ગરમીને લઈ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા નાગરિકોને ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવા અને હીટસ્ટ્રોકથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.